લોકેશન
સાંગોદ્રા-ગીર
સાંગોદ્રા-ગીર ગુજરાત રાજ્યમાં આવેલ જુનાગઢ જિલ્લાના ગીર
વિસ્તારના પાટનગર તાલાળા તાલુકાનું એક ગામ છે જે ગીરનાં લીલાછમ જંગલથી ઘેરાયેલ છે જેની
અંહીના રાજા કેહવાતા ‘એશિયાટીક સિંહ’ રખેવાળી કરે છે જ્યારે હિરણ-૧ નદી એ સીમા સમાન ગામની સરહદેથી પસાર થાય છે. અંહીનું વાતાવરણ બધી જ ઋતુમાં ખુશનુમા રહે છે, વસંતના આગમન સમયે જંગલની સુંદરતા નિહાળવા યોગ્ય હોય છે. ગીર વિસ્તાર તેના જંગલ, સિંહ અને કેસર કેરી માટે જગ વિખ્યાત છે અને દેશી-વિદેશી પર્યટકોનું મન
પસંદ ટુરિસ્ટ પ્લેસ સાસણ-ગીર અંહીથી માત્ર ૯ કિ.મી. નાં અંતરે આવેલું છે.
પધારો અમારે દેશ...
મહત્વનાં સ્થળોનું અંતર (કિ.મી. માં)
|
વાહનવ્યવહારએસ.ટી. બસ તેમજ પ્રાઇવેટ ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટ સેવા-સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળથી
સીધી સાસણ-ગીર અને તાલાળા-ગીર
માટે. (તાલાળા
બસ સ્ટેશન-૯ કિ.મી.)
રેલ્વે સેવા- મિટરગેજ (નાની) લાઇન: સાસણથી વિસાવદર, સતાધાર, બિલખા, જુનાગઢ, ધારી, અમરેલી, ઢસા, ઉના, કોડીનાર, દેલવાડા તાલાળા અને વેરાવળ માટે. બ્રોડગેજ (મોટી) લાઇન: વેરાવળથી હોલિડે કેમ્પ, માળીયા હાટીના, કેશોદ, જુનાગઢ, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, બરોડા, સુરત, નવસારી, વાપી, મુંબઈ, પૂણે, રતલામ, કોટા, જોધપુર, જબલપુર, ભોપાલ, જમ્મુત્તાવી, મેંગેલોર માટે સીધી ટ્રેન તેમજ રાજકોટ જંક્શન મારફતે આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, દિલ્લી, મહારાષ્ટ્ર તથા અન્ય ટ્રેન નું એક્સટેન્શન. |
નજ્દીકી
એરપોર્ટ:
રાજકોટ-૧૬૭ કિ.મી. અને દીવ-૯૧ કિ.મી. - ફ્લાઇટ:
દિલ્લી-અમદાવાદ, મુંબઈ-અમદાવાદ, મુંબઈ-રાજકોટ, મુંબઈ-દીવ